Thursday, April 9, 2020

૧૭૦૦ ખલાસીઓ વેરાવળ થી ઉમરગામ ધકેલી દેવાતા સનસનાટી, પણ ટીવી ચેનલો મા થી આ સમાચારો ગાયબ??

*ટીવી અને મુખ્ય અખબારો મા થી આ સમાચાર ગાયબ કેમ????*


*1700 ખલાસીઓ ને વેરાવળ થી ઉમરગામ 23 બોટ ભરીને ધકેલી દેવાયા*

*ગરીબ આદિવાસી ખલાસીઓ ઉપર પથ્થરમારો પણ થયો, કાંઠા ના ગામ લોકો આ ખલાસીઓ ને ઉતરવા દેવા માંગતા નોહતા*

*મરીન પોલીસ ઈન્સ્પેક્ટરે બોટ સામે રીવોલ્વર તાકી ને બોટ ના ટંડેલો ને બોટ તાત્કાલીક લઈ જવા નો હુકમ કરતાંજ સનસનાટી મચી ગઈ*

*તલાસરી ના ખલાસીઓ ને પરત લાવવાનુ બીડું ઉપાડનાર  રમણ પાટકર સ્થળ ઉપર ફરક્યાજ નહીં*

*ગુજરાત ના 1100 ખલાસીઓ ની શાથે મહારાષ્ટ્ર ના 600 ખલાસીઓ પણ આવી જતા એમનું શું કરવું તે પ્રશ્ન ઉભો થઈ પડ્યો*

*વેરાવળ કલેકટરે અસ્પષ્ટ અને અધુરી કામગીરી કરતાં મામલો વધુ પેચીદો બન્યો* 

*મહારાષ્ટ્ર ના આદિવાસીઓ ને પરત વેરાવળ લઈ જતી બોટો ઉપર સ્થાનિકો એ ભારે પત્થરમારો કરતા અનેક ના માથા ફૂટ્યા, અને માનવતા મરી પરવારી*

No comments:

Post a Comment