Saturday, April 4, 2020

જાણો કોણે કહ્યું: કોરોના થી તો હું મારાં રાજ્ય ની પ્રજા ને બચાવી લઈશ પણ, અફવા ફેલાવનારાઓ ને મારા થી કોણ બચાવશે??

મહારાષ્ટ્ર ના ચીફ મિનિસ્ટર #ઉદ્ધવ_ઠાકરે એક વિચારશીલ, ધીરગંભીર અને હોંશિયાર #મુખ્યમંત્રી બની ને ઉભરી આવ્યા છે.

રાજ્ય ના વડા તરીકે એમણે જે પરિપક્વતા દાખવી છે તે કાબિલે તારીફ છે,પોતાની પ્રથમ ટર્મ માંજ વૈશ્વિક આફત નો સામનો કરવામા અભૂતપૂર્વ સાહસ અને ધૈર્ય દાખવી ને તેમણે તેમના ટીકાકારો ને ખોટાં પાડ્યા છે.
કોરોના જેવી વૈશ્વિક મહામારી એ જ્યારે મહારાષ્ટ્ર ને ભરડો લીધો ત્યારે ઉદ્ધવ ઠાકરે એ ગઠબંધન ની સરકાર મા સંકલન સાધી ને મહારાષ્ટ્ર ની પ્રજા ના હિત મા એક પછી એક નિર્ણયો લઈ ને વિરોધીઓ ને ચોંકાવી દીધા હતા.

વડાપ્રધાન દ્રારા દેશ ના અલગ અલગ રાજ્યો ના મુખ્યમંત્રીઓ શાથે કરવામા આવેલી ઓનલાઈન કોન્ફરન્સ મા ઉદ્ધવ ઠાકરે ના સુચન: "કોરોના સામે લડવા માટે દરેક ધર્મ ના ધર્મગુરુઓ નો શાથ લેવો જોઈએ" ને વડાપ્રધાન દ્રારા સ્વિકારી લેવામા આવ્યું હતું.

કોરોના બાબતે પાયાવિહોણી અફવાઓ અને ધાર્મિક વેરઝેર ફેલાવતા તત્વો ને કડક ચેતવણી આપતા કહ્યું હતું કે કોરોના થી હું મારા રાજ્ય ની પ્રજા ને બચાવી લઈશ પણ અફવા ફેલાવનારાઓ ને મારા થી કોણ બચાવશે????

No comments:

Post a Comment